Headline
વળતર ના મુદ્દે કામ બંધ અંકલેશ્વર ના અડોલ ગમે સર્વે નંબર 878 માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું
અંકલેશ્વર ના નોબલ માર્કેટ નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું
સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી સૂફી હજરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન
આમોદ ચોકડી થી કોંગ્રેસે સંવિધાન બચાવો રેલી કાઢી. કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા.
બે દિવસ પૂર્વે અમેરિકા માંથી ડિપોર્ટ કરેલ અંકલેશ્વર ની એશા પટેલ ના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું અંકલેશ્વર પારેખ ફળીયા માં યુવતી નો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું
વઘઈ તાલુકા માં ઉગા ચિચપાડા આર સી સી રસ્તા નથી ,સીસી રસ્તા માં ભ્રષ્ટાચાર કરનાર, એવાં ઈજનેર આશિષ ભોંયે, કરાર આધારિત નિમણૂક પામેલ રજનિશ પટેલ,વઘઈ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ પંકજ પટેલ, જેવાં નાં નિચો અવાજ ઉંચો ભ્રષ્ટાચાર માં રંગીલા,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ માં રોટલા અને ઓટલાની સેવા
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો
100 વર્ષ જૂના પારસી પેલેસમાં તસ્કરોનો હાથફેરો: પેલેસમાં પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી

તારીખ 19 ના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ના વિષયક તેરમી જિલ્લા કક્ષાની લેખિત ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન

ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 647 શાળાઓએ ભાગ લીધો હતો.
વડોદરાની શાળા અંતર્ગત પ્રથમ આવેલા બાળકો માટે ઇનામ વિતરણ અને જિલ્લા કક્ષાની પરીક્ષા નું આયોજન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવેલ.

જિલ્લા કક્ષાની પરીક્ષાનું પરિણામ 6 જાન્યુઆરી 25 ના રોજ જાહેર કરવામાં આવશે.
ઇનામ વિતરણ 9 ફેબ્રુઆરી 25 ના રોજ થશે

આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા ખાતે ત્યાંના સ્વામીજી વરિષ્ઠ સન્યાસી સ્વામી સુવીજ્ઞેયાનંદજી જણાવે છે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે આ પરીક્ષાનું આયોજન કરવાનું મુખ્ય હેતુ યુવાપેઢીને જાગ્રત કરવાનું છે.સ્વામીવિવેકાનંદજી એક એવા મહાન વ્યક્તિત્વ ધરાવે છે એમના વ્યક્તિત્વના બળ પર જ એમણે જગતના ઇતિહાસમાં ઇતિહાસ રચ્યો જેના લીધે સનાતન ધર્મની પ્રતિમા ઊંચી આવી સ્વામી વિવેકાનંદજી વારંવાર ઈચ્છતા હતા કે જે આપણી સનાતન શિક્ષણ પદ્ધતિ છે જ્યાં સેલ્ફ ડેવલપમેન્ટ પર એજ્યુકેશન જેટલું જ ભાર આપવામાં આવતું હતું

હાલ આપણા ભારતમાં એક ખોટી ધારણા પ્રચલિત થઈ છે કે આધ્યાત્મિકતા તરફ જવાથી આપણી લક્ષ્મીજીની ભૂમિકા ઓછી થઈ જશે વૈભવ નહીં મળી શકે પરંતુ આ ધારણા ખોટી છે સ્વામી વિવેકાનંદજી ઇચ્છતા હતા કે આ ધારણા નીકળી જાય કારણ કે બંનેની પોતપોતાની અલગ અલગ ભૂમિકા છે આધ્યાત્મિક વિદ્યા અને ભૌતિકવિદ્યા બંનેનું એટલું જ મહત્વ છે આપણે જાણીએ છીએ કે સરસ્વતીજીના હાથ એક હાથમાં વિદ્યાર્થીઓ પુસ્તક અને બીજા હાથમાં આધ્યાત્મિકતા રૂપી માળા છે આ બંનેનું જીવનમાં ખૂબ જ મહત્વ છે યુવા પેઢી એ ભારતનું ભવિષ્ય છે ભારતનો સાચો ઇતિહાસ આજની યુવા પેઢી સુધી પહોંચવો જરૂરી છે આજના શિક્ષણ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદજીના વિચારોનો સમાવેશ કરવો જોઈએ જેથી આજની યુવા પેઢી ભારતને ઉચ્ચ સ્થાન પર લાવી શકે એવા પેઢીમાં સ્વામીજીના વિચારો પર ચાલવાની ક્ષમતા વધે વ્યક્તિવિકાસ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ ,સમયનો સદુપયોગ, વિદ્યાર્થીની સફળતા ,સફળતાના રહસ્ય, લીડરશીપ જેવા વિષયોને સ્થાન મળશે તો ચોક્કસથી યુવા પેઢીનો વિકાસ થશે.

રિપોર્ટર દિશા ગાંધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
error: Content is protected !!