Headline
વળતર ના મુદ્દે કામ બંધ અંકલેશ્વર ના અડોલ ગમે સર્વે નંબર 878 માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું
અંકલેશ્વર ના નોબલ માર્કેટ નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું
સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી સૂફી હજરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન
આમોદ ચોકડી થી કોંગ્રેસે સંવિધાન બચાવો રેલી કાઢી. કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા.
બે દિવસ પૂર્વે અમેરિકા માંથી ડિપોર્ટ કરેલ અંકલેશ્વર ની એશા પટેલ ના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું અંકલેશ્વર પારેખ ફળીયા માં યુવતી નો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું
વઘઈ તાલુકા માં ઉગા ચિચપાડા આર સી સી રસ્તા નથી ,સીસી રસ્તા માં ભ્રષ્ટાચાર કરનાર, એવાં ઈજનેર આશિષ ભોંયે, કરાર આધારિત નિમણૂક પામેલ રજનિશ પટેલ,વઘઈ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ પંકજ પટેલ, જેવાં નાં નિચો અવાજ ઉંચો ભ્રષ્ટાચાર માં રંગીલા,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ માં રોટલા અને ઓટલાની સેવા
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો
100 વર્ષ જૂના પારસી પેલેસમાં તસ્કરોનો હાથફેરો: પેલેસમાં પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી

ટંકારીયા સ્થિત એમ એ એમ હાઇસ્કુલની હજરત હસન અશકરી મિયાં એ મુલાકાત લીધી, તેઓએ બાળકોને શિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મુકયો…

ભરૂચ જિલ્લામાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબે ટંકારીયા સ્થિત મોહસીને આઝમ મિશન સંચાલિત એમ એ એમ હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી. હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબ શાળા પડે આવી પહોંચતા તેઓનું શાળાના બાળકોએ ગુલાબના ફૂલો વડે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંચ પર પહોંચ્યા બાદ શાળા સંચાલકો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. શાળાના બાળકોએ ઇસ્લામિક પ્રશ્નોત્તરી રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ત્યાબદ વિશેષ અતિથિ હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબે પોતાના વક્તવ્યમાં શાળાની જે પ્રગતિ થઇ રહી છે તેની પ્રશંસા કરી શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે  મોહસીને આઝમ મિશન સંચાલિત એમ એ હાઇસ્કૂલની મુલાકાત માટે આવ્યો છું  આ શાળાનું પરફોર્મન્સ જોઈ મને ખુબ ખુશી થઈ આ શાળાનું પરિણામ પણ ખૂબ ઉત્કૃષ્ટ આવ્યું તે જાણી મને આનંદ થયો મને આશા છે કે શાળાના સંચાલકો આ શાળાને આગળ લઈ જશે. શાળાના બાળકો દેશની સેવામાં દરેક તરફ આગળ લઈ જશે. શિક્ષણ એ પ્રકાશ છે અને પ્રકાશ એ અંધકારને દુર કરે છે. અને અંધકારને દુર કરવા માટે આપણે બાળકોને સંસ્કાર આપવા જોઈએ. સૌને જોડવા જોઈએ સૌને એક કરવા જોઈએ . ના કોઈને કાપવાની વાત હોવી જોઈએ કે ના કોઈને વહેંચવાની વાત હોવી જોઈએ શિક્ષણ પ્રાપ્ત કરશો તો આગળ વધશો…

રિપોર્ટર, અવિ સૈયદ, ટંકારીયા, ભરૂચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
error: Content is protected !!