Headline
વળતર ના મુદ્દે કામ બંધ અંકલેશ્વર ના અડોલ ગમે સર્વે નંબર 878 માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું
અંકલેશ્વર ના નોબલ માર્કેટ નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું
સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી સૂફી હજરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન
આમોદ ચોકડી થી કોંગ્રેસે સંવિધાન બચાવો રેલી કાઢી. કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા.
બે દિવસ પૂર્વે અમેરિકા માંથી ડિપોર્ટ કરેલ અંકલેશ્વર ની એશા પટેલ ના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું અંકલેશ્વર પારેખ ફળીયા માં યુવતી નો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું
વઘઈ તાલુકા માં ઉગા ચિચપાડા આર સી સી રસ્તા નથી ,સીસી રસ્તા માં ભ્રષ્ટાચાર કરનાર, એવાં ઈજનેર આશિષ ભોંયે, કરાર આધારિત નિમણૂક પામેલ રજનિશ પટેલ,વઘઈ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ પંકજ પટેલ, જેવાં નાં નિચો અવાજ ઉંચો ભ્રષ્ટાચાર માં રંગીલા,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ માં રોટલા અને ઓટલાની સેવા
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો
100 વર્ષ જૂના પારસી પેલેસમાં તસ્કરોનો હાથફેરો: પેલેસમાં પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી

મોઝામ્બિકમાં ફાટેલી હિંસાનો હવે ભારતીયો ભોગ બન્યાં, લૂંટફાટ મચાવી; પરિવારોએ કહ્યું- ‘પ્લીઝ એમને બચાવો’

આફ્રિકામાં ગુજરાતીઓની દુકાનોને આગ લગાડી:
મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યાં છે. જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યાં છે. ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યાં છે.ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી છે

ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ-અલગ દેશોમાં સ્થાયી થયા છે.

તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે. જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. જોકે, ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે. ત્યાં રહેતા અને ધંધો કરતાં અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
error: Content is protected !!